Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં હાજર રહેવામાંથી ટીવી જર્નલિસ્ટ અર્ણબ ગોસ્વામીને મુક્તિ મળી

  • March 06, 2021 

આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં રાયગઢ જિલ્લાની અલીબાગ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહેવામાંથી ટીવી જર્નલિસ્ટ અર્ણબ ગોસ્વામીને મુક્તિ મળી છે. મુંબઈ હાઇ કોર્ટે શુક્રવારે અર્ણબને 16 એપ્રિલ સુધીની વચગાળાની રાહ આપી છે.

 

 

 

 

 

અલીબાગના ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં અર્ણબ અને અન્ય બે જણ આરોપી છે. આરોપીઓની કંપની દ્વારા લેણાં નહીં ચૂકવાતાં અન્વય નાઇકે 2018 માં આત્મહત્યા કરી હતી. આ કેસમાં 4 નવેમ્બર, 2020 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાઇ કોર્ટમાંથી રાહત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને 11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application