Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલિયા ગામે પાંચ સ્થળો પરથી પાંચ સરીસૃપને પકડી જંગલમાં છોડાયા

  • October 08, 2021 

અંકલેશ્વરના વાલિયા ગામના શાંતિ નગર વિસ્તારમાં રહેતા દમયંતિબે સોલંકીના ઘરે કોબ્રા સાપ દેખાતા પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. સાપ અંગે સ્થાનિકો જીવાદયા પ્રેમી કિરણ વસાવાને તે પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કરી સાડા ચાર ફૂટ લાંબા કોબ્રા સાપને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત વાલિયા ગામના વચલા ફળિયામાં રહેતા રાજુભાઇ વસાવાના ઘરેથી કોમન ક્રેક, શાંતિ નગર-2માંથી પાટલા ગો અને જય માતાજી સોસાયટીમાં રહેતા કલ્પનાબેનને ત્યાંથી બિન ઝેરી સાપ તેમજ લીભેટ ગામમાં રહેતા ભીમસિંગ વસાવાના ઘરેથી અત્યંત જેરી એવા સાડા ચાર ફૂટ લાંબા કોબ્રા સાપને પકડી પાડ્યો હતો અને આ તમામ સરીસૃપને જંગલ સુરક્ષિત રીતે છોડી મૂક્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application