સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજય નગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી. મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરનો 55 વર્ષીય મોહમ્મદ અલીમ ચાર મહિનાથી અજય નગરમાં તેના 14 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ધાર્મિક સ્થળો માટે દાન એકઠું કરવાની સાથે અલીમ મચ્છરદાની અને અન્ય વસ્તુઓ વેચતો હતો.
સોમવારે રાત્રે જ્યારે અલીમે તેના પુત્રને અભ્યાસમાં ધ્યાન ન આપવા માટે ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. રાત્રે લગભગ 2 વાગે જ્યારે અલીમ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પુત્રએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી. આ પછી, તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેના પિતાના મૃત્યુની રાહ જોતો બહાર ઉભો રહ્યો. લગભગ દસ મિનિટની જહેમત બાદ પડોશીઓ તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા તો કિશોર તેમને જોઈને ભાગી ગયો. જોકે, હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 'આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. મોહમ્મદ અલીમનો પુત્ર શેરીઓમાં લડતો તેમજ અલીમ વારંવાર તેને ભણવા માટે કહેતો. એવામાં આવી નાની વાતમાં ગુસ્સે ભરાઈને તેણે તેના પિતાની જ હત્યા કરી નાખી.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application