Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેવી રીતે ભણશે ગુજરાત! સોનગઢની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓને પ્રગતીપત્ર આપવામાં નહીં આવતા વાલીઓમાં રોષ

  • May 07, 2022 

સોનગઢના ચાકળીયા ગામની પ્રાથમિક શાળાનો વિવાદ સામે આવ્યો છે, અહીના શાળામાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓને પ્રગતી પત્ર આપવામાં નહી આવતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.


વ્યક્તિના જીવનમાં શાળા એક મહત્ત્વનું સોપાન હોય છે જે વ્યક્તિનું જીવન બદલી શકે છે.બાળકો માટે પાયાનું શિક્ષણ તેના જીવન માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે અને તેના આધારે બાળકો પોતાના ભવિષ્યના લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસ કરે છે, પરંતુ તાપીના સોનગઢમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે તાપી જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે.સોનગઢના ચાકળીયા ગામની પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદમા સંપડાઈ છે.


મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સોનગઢ તાલુકાના ચાકળીયા ગામના હોળી ફળીયામાં આવેલ પ્રાથમિક શાળામાં આજરોજ વાલીઓ સાથે બાળકો પ્રગતી પત્ર લેવા પહોંચ્યા હતા, જોકે ધોરણ-૧ અને ૨ના બાળકોને પ્રગતી પત્ર આપવામાં નહી આવતા વાલીઓમાં રોષની પ્રસરી જવા પામી હતી. બાળકો માટે પાયાનું શિક્ષણ તેના જીવન માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે અને તેના આધારે બાળકો પોતાના ભવિષ્યના લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસ કરે છે,પરંતુ ચાકડીયા ગામની પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા ધોરણ-૧ અને ૨ના બાળકોને પ્રગતી પત્ર આપવામાં નહી આવતા શાળાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


જોકે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, જે પણ હશે તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું. જોકે આજરોજ શાળામાંથી પોતાના બાળકોને પ્રગતીપત્ર મેળવવાની આશા લઈને પહોંચેલા બાળકો મુંજવણમાં મુકાયા હતા જયારે તેમના વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

-                                                            ------------000000000000000-----------



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News