ગાંધીનગરનાં અડાલજમાં કારની ટક્કરે અજાણ્યા વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક આ ઘાયલ યુવાનને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અડાલજની હોટલ પાસેથી એક રાહદારી યુવાન પસાર થતો હતો ત્યારે વૈષ્ણોદેવી સર્કલ તરફથી આવતી એક કારે આ રાહદારી યુવાનને ટક્કર મારી હતી. જેના કારણે આ યુવાન પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ અકસ્માત સર્જનાર આ કાર ચાલકે જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી અને આ ઘાયલ યુવાનને સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડયો હતો પરંતુ સિવિલના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application