Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આ ગામના આધેડે કર્યો આપઘાત, આંખે ઝાંખુ દેખાતા ભર્યું પગલું

  • December 12, 2021 

સોનગઢના આછલવા ગામના આધેડે આંખે ઝાંખુ દેખાતા આપઘાત કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના આછલવા ગામના જામણ ફળીયામાં રહેતા ગુરજીભાઈ લાલજીભાઈ ગામીત (ઉ.વ.૬૦) નાઓએ ગતરોજ ઘરની પાછળ આવેલ ડુંગરા પાસે આવેલ ખાખરાના ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો.


બનાવની જાણ સોનગઢ પોલીસને થતા સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુરજીભાઈને આંખે ઝાંખુ દેખાતું હોવાથી કંટાળી જઈ ટેન્શનમાં આવી જઈને પોતે દોરી વડે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતકની પત્ની સુમલીબેન ગુરજીભાઈ ગામીતની ફરિયાદના આધારે આજરોજ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application