Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં ‘ઉદ્યોગ સાહસિકતાને જાણો’ વિષય પર તજજ્ઞોનો વાર્તાલાપ યોજાયો

  • September 23, 2023 

સુરતના મજુરા ગેટ સ્થિત ડૉ.એસ.&એસ.ગાંધી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજીના મેટલર્જી વિભાગના ઉપક્રમે "ઉદ્યોગ સાહસિકતાને જાણો" વિષય પર તજજ્ઞોનો વાર્તાલાપ યોજાયો હતો. વિદ્યાર્થીઓ માટે સંભવિત કારકિર્દીના માર્ગો શોધવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચા સંવાદ કરવા માટેના આગવા પ્લેટફોર્મ સમાન આ સંવાદ કાર્યક્રમમાં નારોલા ડાયમંડ પ્રા.લિ.ના ચેરમેન બાબુભાઈ નારોલાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી તકો અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન નારોલાએ તેમના અમૂલ્ય અનુભવો શેર કરી ઉદ્યોગ સાહસિકતા, અને ઉદ્યોગમાં સંકળાયેલી જટિલ પ્રક્રિયાઓની સમજ આપી હતી. તેમણે પડકારોનો સામનો કરવા મક્કમતા અને આત્મબળ કેળવવા પર ભાર મૂકી પડકારોના ઉકેલો મેળવવા અંગે ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application