Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડૂત વિરોધી કાયદો રદ કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધતુ આવેદન આપવામાં આવ્યું

  • December 05, 2020 

ભાજપ સરકાર દ્વારા કૃષિ બિલ પસાર કરાવ્યા બાદ દેશમાં ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે હાલમાં જ દિલ્હીમાં ખેડૂતો દ્વારા સતત દસ દિવસથી સરકારના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે આ કાળો કાયદો પાછો ખેંચવા માટે ખેડૂતોની માંગ છે. ધારાસભ્ય પી .ડી. વાસવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં આવી આ કાયદો રદ કરવા માટે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

 

 

 

 

અવેદનમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતા ઓને મૂડીપતિઓનો ના હાથમાં ગીરવે મૂકી દેશમાં હરીત ક્રાંતિની ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે ઉપરાંત આ કાયદા થી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ (એપીએમસી) નાબૂદ કરવા થી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઇ જશે આ સ્થિતિમાં ખેડૂતોને લઘુત્તમ સમર્થન મૂલ્ય નહીં મળે કે ન તો બજાર ભાવ પ્રમાણે તેમના પાક ની કિંમત મળશે જો સમગ્ર દેશમાં કૃષિ ઉપજ બજાર એટલે કે એપીએમસી વ્યવસ્થા ખતમ થઈ જશે તો સૌથી મોટું નુકસાન ખેડૂત અને ખેત મજુરોને થશે અને સૌથી વધુ ફાયદો મુઠ્ઠીભર મૂડીપતિ ઓનો થશે તેવો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો છે.

 

 

 

 

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદે જણાવ્યું હતું કે, કૃષિ બિલ થી દેશનો ખેડૂત પાયમાલ બનશે આ કાયદો રદ થાય તેવી તેઓએ માંગ કરી છે ઉપરાંત નાંદોદ ના ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું કે,આ કાળો કાયદાથી દેશની તમામ તાલુકાઓની એપીએમસી બંધ થશે જેના કારણે ખેડૂતોને ખેત મજુરોને ઉપરાંત ટ્રાન્સપોર્ટરોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની પૂરેપૂરી ભીતિ છે તેમજ હાલ ખેડૂત ની પરિસ્થિતિ દયનિય છે અને વધુ કફોડી બનશે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application