સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવા ખાતે હિન્દી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રા.દિલીપ કુમાર મોગ્યાભાઈ ગાવિત જેઓ ૧૯૨૦માં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ભાષાઓ અને સાહિત્ય વિદ્યાશાખા- હિન્દી વિભાગના સીનીયર પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડૉ.જશવંતભાઈ ડી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ “સુમિત્રાનંદન પંત કી કવિતાઓ મેં માનવતાવાદ એવમ પ્રકૃતિ ચિત્રણ” વિષય પર શોધ નિબંધ તૈયાર કર્યો હતો. જેને ગૂજરાત વિદ્યાપીઠએ સ્વીકારી તેમને પીએચ.ડી.(Ph.D)ની પદવી માટે ઉતીર્ણ જાહેર કરેલ છે. જે અત્રેની સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તથા ડાંગ જિલ્લા માટે ગૌરવની બાબત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application