Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જનતાના પ્રશ્નોની રજુઆતો સાંભળવા અને તેના નિરાકરણ માટે તમામ મંત્રીઓ દર સોમવાર સવારે ૧૦:૩૦ કલાકથી સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે મળશે

  • December 23, 2022 

રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મંત્રીમંડળના દ્વાર પ્રજાજનોની રજુઆતો સાંભળવા માટે દર સોમવારે ખુલ્લા રહેશે. રાજ્યમાં દર સોમવારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ ખાતેના મંત્રીશ્રીઓના કાર્યલાય ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી નાગરિકોની રજુઆતો સાંભળીને ન્યાય આપવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. 




જ્યારે દર મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી સાસંદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે સ્થાનિક રજુઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.તદ્ઉપરાંત દર મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્યેથી ધારાસભ્યશ્રીઓ, સાસંદશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પોતાના મતવિસ્તારના સ્થાનિક પ્રજાજનો સાથે રજુઆતો સંબંધિત ચર્ચા કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News