Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

  • July 27, 2024 

ખેડા જિલ્લાના નડિયાદ, વસો અને કઠલાલ તાલુકામાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જેથી જિલ્લામાં કેસોની સંખ્યા કુલ 11 ઉપર પહોંચી છે. નવા કેસો નોંધાતા આરોગ્ય વિભાગે સંબંધિત વિસ્તારોમાં સર્વે સહિતની કામગીરી આરંભી છે. નડિયાદના બિલોદરા ગામમાં ગતરોજ 6 વર્ષિય બાળક ચાંદીપુરાનાં ભરડામાં આવ્યું છે. જે હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ વસોના મિત્રાલમાં પણ 3 વર્ષિય બાળકમાં ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.


ઉપરાંત કઠલાલના ભાનેર ગામમાં પણ 3 વર્ષિય બાળકમાં ચાંદીપુરાનાં લક્ષણો દેખાતા તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયારે ગુરુવારે 2 કેસ નોંધાયા બાદ શુક્રવારે 3 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લામાં અત્યારસુધીમાં 11 બાળકો વાઈરસની ચપેટમાં આવી જતાં અને તેમાંથી બે બાળકોના મોત થતાં જિલ્લાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે અને સર્વે કરી સેમ્પલ લઈ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોની તિરાડો પુરવાની કામગીરી હાથ ધરી છે. તેમજ ગંદકી ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News