Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે વર્ષ બાદ પ્રતિબંધ વિના દહીહાંડી અને ગણેશોત્સવ ઉજવવા મંજૂરી અપાઈ

  • July 22, 2022 

કોરોના ચેપી રોગચાળાને કારણે છેલ્લા 2 વર્ષથી દહીંહાંડી અને ગણેશોત્સવ ધામધૂમથી ઉજવણી કરવા પ્રતિબંધ મૂક્યો હતો. જોકે હવે આ તહેવારો અગાઉ જેવી ધૂમધામથી ઉજવવા માટે મહારાષ્ટ્ર સરકારે લીલીઝંડી આપી છે. છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવ દરમિયાન કોરોનાના નિયંત્રણોને કારણે મહારાષ્ટ્રમાં દહીંહાંડી અને ગણેશોત્સવ સાદગીથી ઉજવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોના ખૂબ જ નિયંત્રણમાં હોવાથી ગણેશોત્સવ કોઈ પણ પ્રકાર પ્રતિબંધો વગર ઉજવવામાં આવે એવી ઘોષણા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.




મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણી માટે એસ.ટી. પ્રશાસનને વધારાની ટ્રેનો દોડાવવાની સૂચના આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગને ટ્રાફિક પ્લાનિંગ કરવાનો આદેશ જારી કર્યો છે. હાઇવે પોલીસને પણ મુખ્ય હાઇવે પર ટ્રાફિક જામ ટાળવાની સુચના આપવામાં આવી છે.




સાર્વજનિક ગણેશોત્સવ, મોહરમ, દહીહાંડી નિમિત્તે કાયદા અને સુવ્યવસ્થા અને અન્ય બાબત સંદર્ભે સહ્યાદ્રી રાજ્ય અતિથી ગૃહ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નેતૃત્વ હેઠળ યોજાયેલી મીટિંગમાં પોલીસ અધિકારી સહિત સંબંધિત વિભાગના સચિવ ઉપસ્થિત હતા. આ મીટિંગમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગણેશોત્સવ, દહીહાંડી સહિત અન્ય તહેવારો ધામધૂમથી ઉજવવાની પરવાનગી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application