Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડિશા ટ્રેન દુર્ઘટનાં બાદ આ રૂટની 43 ટ્રેનો રદ કરાઈ, જ્યારે 38 ટ્રેનોનાં રૂટ ડાયવર્ટ કરાયા

  • June 03, 2023 

ઓડિશાનાં બાલાસોર જિલ્લાનાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગતરોજ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસનાં ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાનાં મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોનાં મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.


ઓડિશાનાં બાલાસોર જિલ્લાનાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગતરોજ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસનાં ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના બાદ આજે તે રૂટની 43 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 38 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. તેમજ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી આજે સૌથી પહેલા બાલાસોરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યાર બાદ તેઓ કટકની હોસ્પિટલની મુલાકાત લેશે.


બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે NDRFનાં 7 યુનિટ, ODRAFનાં 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. અને લગભગ 200 એમ્બ્યુલન્સને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. તેમજ 45 મોબાઈલ હેલ્થ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથેઆ આશરે 50 વધુ ડોકટરો સારવારમાં રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News