Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ પુણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયને પાલિકા દ્વારા સીલ કરાઈ

  • May 29, 2024 

રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાપાલિકાનું તંત્ર જાગ્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં સીલિંગની કામગીરી ચાલી રહે છે. આજે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક શાળાને સીલ કરતા ભારે હોબાળો થયો છે. સુરતમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પૂર્ણા વિસ્તારની એક ખાનગી સ્કૂલને પાલિકાએ સીલ કરી છે.


જેને કારણે હોબાળો થયો છે. પુણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે તેના વિરોધમાં પુણાગામ ખાનગી સ્કૂલ સંચાલક મંડળે વિરોધ કર્યો છે. સુરત પાલિકાએ કોઈ પણ જાતની સૂચના વિના સ્કૂલો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે તે યોગ્ય નથી તેઓ આક્ષેપ કરાયો છે. સંચાલકો જણાવે છે કે રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર સફળ જાગ્યું છે અને આ કામગીરી કરી રહ્યું છે, પરંતુ શાળામાં કામગીરી માટે સમય આપવો જોઈએ. શાળાને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે, એટલે તમામ સુવિધા ઉભી કરી છે અને ફાયર એનઓસી હોવા છતાં પણ સીલીંગની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application