Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ ચેન્નાઈના વેપારીઓએ કરી ૧૨.૦૯ લાખની છેતરપિંડી

  • December 26, 2020 

રિંગરોડ શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટમાં નારાયણ સારીઝના નામે ધંધો કરતા વેપારી પાસેથી સ્થાનિક દલાલ મારફતે ચેન્નાઈના પાંચ વેપારીઓઍ કુલ રૂપિયા ૧૨.૦૯ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી વેપારીઍ ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે વેપારીની ફરિયાદ લઈ કાપડ દલાલ સહિત ચેન્નાઈના છ વેપારીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

બનાવની સલાબતપુરા પોલીસ પાસેથી મળીત વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ હોમીયોપેથીક કોલેજ પાસે સોનલરૂપ ઍપાર્ટમેન્ટમાં રહેતા વિમલ ગણેશલાલ સિંધવી(ઉ.વ.૩૮) રિંગરોડ શ્રીજી ટેક્ષટાઈલ માર્કેટમાં નારાયણ સારીઝના નામે દુકાન ધરાવે છે. વિમલભાઈ પાસેથી ગત તા ૧લી એપ્રિલ ૨૦૧૮થી ૧૮ ફ્રેબ્રુઆરી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન રિંગરોડ સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં વિનય ઍજન્સીના નામે ધંધો કરતા કાપડ દલાલ પ્રભુ ગીરધરસિંહ રાજપુ, શ્રી કનિક સારીઝના અરૂણ(રહે,ઍમ.સી. રોડ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ), સુંદરી સીલ્સના સુરેશ(રહે,ઈસ્ટ મુથૈયા ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ),ઓમશક્તિ ટેક્ષટઈલના પ્રોપાઈટર(રહે,ઍમ.સી.રોડ વેકટા રામાનુજ સ્ટ્રીટ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ),હર્ષિતા સારીઝના  સુપ્પુ(રહે,ઍમ.સી.રોડ વેકટા રામાનુજ સ્ટ્રીટ ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ) અને શક્તિ ટેક્ષના શક્તિ(રહે,ઓલ્ડ વશેરમપેટ ચેન્નાઈ)ઍ કુલ રૂપિયા ૧૨,૦૯,૬૬૭નો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓઍ પેમેન્ટ નહી ચુકવતા વિમલભાઈ સિંધવીઍ પેમેન્ટ માટે ઉઘરાણી કરતા આરોપીઓઍ પેમેન્ટ મળશે નહી થાય તે કરી લેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વિમલભાઈની ફરિયાદ લઈ દલાલ સહિત વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application