Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફ્યુ, રાત્રે 8થી સવારે 6 બંધ

  • May 06, 2021 

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાની ચેઈન તોડવા માટે અત્યાર સુધી માત્ર ભરૂચ શહેરમાં જ રાત્રિ કર્ફ્યુ અમલમાં હતું, હવે રાજ્ય સરકાર દ્વારા ફરીથી રાત્રિ કર્ફ્યુનો સમયગાળો વધારી દેવામા આવ્યો છે. તથા નવા શહેરો પણ ઉમેરાતા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેરનો રાત્રિ કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંને શહેરોંમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ રાત્રિ કર્ફ્યુ અમલ રહેશે.

 

 

 

 

 

 

આ દરમિયાન આવશ્ય ચીજ વસ્તુઓ, આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

 

 

 

 

 

બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની ચેઈન તોડવા પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પણ હવે મંદ પડી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં નવા પોઝિટિવ કેસ અને મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો હતો. જે મે મહિનામાં થોડી રાહત આપનારો સાબિત થયો છે.

 

 

 

 

 

મંગળવારે પણ જિલ્લામાં કોરોનાના 106 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોવિડ સ્મશાનમાં 35 મૃતદેહોના અંંતિમ સંસ્કાર દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા. વધુ બે લોકોના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટ આવતા જિલ્લામાં સત્તાવાર કુલ મૃત્યુઆંક 69 પર પહોંચ્યો છે.(હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application