Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીડિતાની ફરિયાદને ગંભીરતાથી ના લેનાર ત્રણ પોલીસ અધિકારી સામે કાર્યવાહી

  • November 23, 2022 

પુણેમાં લગ્નની ના પાડનારી યુવતીની હત્યા કર્યા બાદ પ્રેમી આત્મહત્યા કરવાના મામલામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. હત્યાનાં થોડા દિવસ અગાઉ પીડિત યુવતીએ પોતાનો જીવ જોખમમાં હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો નહોતો. જેમાં ત્રણ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનનાં પોલીસ ઓફિસર વૈશાલી સૂમને પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાજકુમાર વાઘચવરેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં તથા પોલીસ અધિકારી શામલ પાટીલની વિશેષ શાખાના બદલી કરવામાં આવી છે.




જોકે બનાવની વિગત એવી છે કે, પુણેનાં ઔંધ પરિસરમાં રહેલી શ્વેતા રાનવડે (ઉ.વ.26)ને આરોપી પ્રતીક ઢમાલે પ્રેમ કરતો હતો. પરંતુ તે વારંવાર ધમકી અને ત્રાસ આપતો હતો. પ્રતીક તેની સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ પ્રતીકનાં વર્તનથી કંટાળીને શ્વેતાએ લગ્નની ના પાડી દીધી હતી. આથી આરોપી ગુસ્સામાં હતો. જયારે પીડિતા શ્વેતા ગભરાઈ ગઈ હતી. તેણે પોલીસને ફરિયાદ કરી હતી. પોતાનો જીવ જોખમમાં હોવાનું કહ્યું હતું. આમ છતા પોલીસે તેની વાત કાને ધરી નહોતી. આરોપીએ ચાકૂના ઘા ઝીંકી શ્વેતાની હત્યા કરી હતી. પછી ઝાડ પર લટકીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો બંનેના જીવ બચી ગયા હોત એમ કહેવાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application