Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીર : આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં કરાઈ

  • November 22, 2023 

ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ કર્યા છે. ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશનમાં કેટલાય આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે.



ત્યારે હવે સરકારે ચાર સરકારી કર્મચારીઓ સામે આતંકવાદી પ્રવૃતીઓમાં સંડોવણી બદલ મોટી કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, SMHS હોસ્પિટલના મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર, પોલીસ કોન્સ્ટેબલ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાસને ભારતના બંધારણની કલમ 311(2)(c)નો ઉપયોગ કરીને આ ચારેય કર્મચારીઓને બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા ચારેય કર્મચારીઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. UT પ્રશાસન દ્વારા આતંકવાદીઓના હાલના નેટવર્કને નષ્ટ કરવા માટે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ આતંકવાદી કે તેના મદદગારોને બક્ષવામાં આવી રહ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News