Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત સરકાર પણ રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈ એકશન મોડમાં આવી

  • April 26, 2025 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ જે કોઈ કારણસર  પાકિસ્તાની નાગરિકો ભારત આવ્યા છે, તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે.


ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા ધરાવતા 438 પાકિસ્તાની નાગરિકો અને શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 07 પાકિસ્તાની નાગરિકો હાલ ગુજરાતમાં ઉપસ્થિત છે. જેમાં લોંગ ટર્મ વાળા 31 પાકિસ્તાની નાગરિકો જામનગર અને ત્રણ નાગરિકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાની વાત સામે આવી છે. પહેલગામ હુમલા બાદ અને કેન્દ્ર સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,જેમાં ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની મહિલા નાગરિકને અટારી બોર્ડર ખાતે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application