Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

  • March 13, 2023 

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી. સુરતમાં અગાઉ પણ આ પ્રકારે કાળાબજારી સામે આવી હતી.


ટોળકીઓ દ્વારા સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો, બિલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બહાર આવ્યું હતું.સરકારી અનાજની કાળા બજારીના કેસમાં બન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળાબજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઓક્ટોબરમાં કેસ દાખલ થયો હતો.


ગોડાઉનના અન્ય મેનેજર તેમજ સાગરિતો પાસેથી અનાજ તેઓ ખરીદતા હતા. સસ્તા ભાવે અનાજ લઈને અનાજની ગુણો તેઓ બદલી નાખતા હતા.અગાઉ સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦ના મુદ્દામાલ પકડાયો હતો.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા અનાજની કાળા બજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application