Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માઈક્રોસોફ્ટનાં એક દાવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં કારણે ભારતમાં 74 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર

  • June 02, 2023 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નાં કારણે ભારતમાં 74 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ભારતમાં હાથ ધરવામાં આવેલા એક સરવેમાં લગભગ ત્રણ ચતૃર્થાંસથી વધુ લોકોએ કહ્યું કે, અમને ચિંતા થઈ રહી છે કે ક્યાંક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)તેમની નોકરી ન છીનવી લે. માઈક્રોસોફ્ટના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. માઈક્રોસોફ્ટ વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2023નાં અહેવાલ મુજબ, 90 ટકા ભારતીય નોકરીદાતાઓનું કહેવું છે કે, તેઓ જે કર્મચારીઓને નોકરી પર રાખે છે તેમને AIનાં વિકાસ માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે.


અહેવાલો અનુસાર ભારતનાં લગભગ 1,000 સહિત 31 દેશોનાં 31,000 લોકો પર હાથ ધરાયેલા સરવેમાં જાણવા મળ્યું કે, 74 ટકા ભારતીય કર્મચારીઓનું એવું માનવું છે કે, AIને લીધે તેમની નોકરી છીનવાઈ જશે. જ્યારે સર્વે દર્શાવે છે કે 83 ટકા ભારતીય કર્મચારીઓ તેમના વર્કલોડને ઘટાડવા માટે AIને શક્ય તેટલું વધુ કામ સોંપવા તૈયાર છે. 90 ટકા એમ્પ્લોયર્સ કહે છે કે, તેઓ જે કર્મચારીઓને ભરતી કરે છે તેમને AI વિકાસ માટે તૈયાર કરવા માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે.


78 ટકા ભારતીય કર્મચારીઓ માને છે કે તેમની પાસે હાલમાં AIનું પૂરતું જ્ઞાન નથી. ભારતમાં માઈક્રોસોફ્ટના પ્રમુખ મોડર્ન વર્ક ભાસ્કર બસુએ કહ્યું કે, AIની આગામી પેઢી ઉત્પાદકતા વૃદ્ધિના નવા માર્ગો ખોલશે, કામ સરળ બનાવશે અને લોકોના ઉપરથી ભારણ ઘટશે. દરેક સંગઠન અને નોકરીદાતા માટે આ એક તક અને જવાબદારી છે કે AIને સુધારવામાં યોગદાન આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application