મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘોડાગામના ૨૫ વર્ષીય મોટર સાયકલ ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે બાદ આજરોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઘોડાગામના પટેલ ફળીયામાં રહેતો યોગેશભાઈ વતેસભાઈ ગામીત (ઉ.વ.૨૫) ગત માસની તારીખ ૧૬/૧૦/૨૦૨૨ નારોજ મિત્ર સંદીપભાઈ સાથે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને સોનગઢથી પરત પોતાના ઘરે ઘોડાગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન દેવજીપુરા પાસે ચાર રસ્તા નજીક સાંજના આશરે સાતેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પુર ઝડપે હંકારી લઇ આવી યોગેશભાઈ ગામીતની મોટર સાયકલને ટક્કર મારી નાશી ગયો હતો.
આ અકસ્માતમાં યોગેશભાઈ ગામીત અને તેનો મિત્ર સંદીપ બને જણાને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે લાંબી સારવાર દરમિયાન સુરતની હોસ્પિટલ ખાતે યોગેશભાઈ ગામીતનું મોત નિપજ્યું હતું, બનાવ અંગે મૃતક યુવકનો ભાઈ રૂબેનભાઈ ગામીતની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ૦ નંબરથી બનાવ દાખલ કરી આજરોજ સોનગઢ પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણ્યા મોટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500