Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જેસીંગપુરા ગામે સર્જાયો અકસ્માત, એક યુવાનું ઘટના સ્થળે મોત, એક યુવાની હાલત ગંભીર

  • December 22, 2020 

વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામે મોટરસાઈકલ ઉપરથી પટકાયેલા બે યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે પાછળ બેસેલ યુવકને ઈજા થતા નજદીક ની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

 

સુરત જીલ્લાના મહુવા તાલુકાના નળધરા ગામે સરકાર ફળીયામાં રહેતો યુવાન સ્નેહલભાઈ દિનેશભાઈ ચૌધરી(ઉ.વ.32) કડિયા કામથી પોતાનો મિત્ર અભયભાઈ ફરેસિંગભાઈ ચૌધરી(રહે.નળધરા) સાથે પોતાની કેટીએમ મોટરસાઈકલ નંબર જીજે/05/પીઈ/૬૬૫૦ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન વ્યારા તાલુકાના કાંજણ ગામેથી રાત્રે પરત નળધરા ગામે જઈ રહ્યા તે દરમિયાન ઉનાઈ-વ્યારા રોડ પર જેસીંગપુરા ગામની દૂધ ડેરી પાસે ચાલકે મોટર સાઈકલ ઉપરનો કાબુ ગુમાવી દેતા બંને યુવાનો રોડ પર પટકાયા હતા.

 

 

 

 

અકસ્માતમાં સ્નેહલભાઈ ચૌધરીને માથામાં તથા કપાળના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલ અભયભાઈ ચૌધરીને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, 32 વર્ષીય સ્નેહલભાઈ ચૌધરીનું મોત થતા પરિવારજનોમાં ગમગીન છવાઈ ગઈ હતી. ઘટના અંગે પોલીસ મથકે મૃતકના ભાઈ દીપેશભાઈ દિનેશભાઈ ચૌધરીએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધારી છે 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application