Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બસની બ્રેક ફેઈલ થતાં ચરણમલ ઘાટમાં અકસ્માત : સદનસીબે મોટી જાનહાનિ ટળી

  • July 04, 2022 

ગુજરાત પરિવહન વિભાગની એસટી બસ માલેગાંવથી સુરત જઈ રહી હતી, તે સમયે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ચરણમલ ઘાટ પર બસનાં આગળનાં વ્હીલની એક્સેલ તૂટી જવાને કારણે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે બ્રેક ફેલ થયા બાદ પણ કાબૂ ગુમાવ્યા વગર બસને રોડની બાજુમાં ઉભી રાખવાના ડ્રાઇવરે કરેલા પ્રયાસને કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.




જયારે માલેગાંવથી સુરત જતી આ બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. પરંતુ આ અકસ્માતમાં આશરે 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે નવાપુર સબ-જિલ્લા ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ અકસ્માત સર્જાતા સ્થાનિક બોરઝર ગામનાં લોકોએ સ્થળ ઉપર આવી મુસાફરોને બસમાંથી બચાવવા અને સારવાર માટે મોકલવામાં પણ મદદ કરી હતી. જયારે ચરણમલ ઘાટ રોડનાં ઢોળાવને કારણે અવાર-નવાર અકસ્માતનો સિલસિલો જારી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application