Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વરાછા વિસ્તારમાં AAP કોર્પોરેટરનાં ઘરમાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત

  • March 09, 2024 

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મૃત્યુ નિપજ્યું છે. રાત્રિના બે વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. ઘરમાં આગ લાગવાના લીધે પરિવારના છ સભ્યોએ બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જો કે 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધુમાડાના લીધે ફસાઈ ગયો અને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. પરિવારના નાના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.


આગ એટલી ભીષણ હતી કે થોડાક જ સમયમાં સમગ્ર મકાનનાં ધૂમાડો ધૂમાડો થઈ જવા પામ્યો હતો. જેથી પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો. આગમાં દાઝી જવાના કારણે પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.  11 માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પ્રિન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે આખો પરિવાર સૂઈ રહ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાનાં આસપાસ અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે થોડી જ ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ઘરમાં બીજા માળે જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સૂઈ રહ્યા હતા. તે દરમ્યાન આગની ઘટના બનતા ભયનો માહોલ છવાયો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ પ્રિન્સ તેમજ તેના ભાઈને થઈ હતી, પરંતુ ધુમાડાનાકારણે તેઓ બહાર નીકળવામાં અસફળ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application