ગાંધીનગરના સેક્ટર ૨૪માં આવેલા ઇન્દિરા નગર ખાતે રહેતા ૨૫ વર્ષીય યુવકે તેના ઘરે એકલતાનો લાભ લઈને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચતી હતી અને અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ ઇન્દિરા નગરમાં રહેતા પરિવારમાં ૨૫ વર્ષીય યુવાન સુનિલ રમેશભાઈનો સમાવેશ થતો હતો.
જે છેલ્લા ઘણા સમયથી કલર કામ કરતો હતો અગાઉના યુવાન અમદાવાદ સાબરમતી ડીકેબીન ખાતે રહેતો હતો. ત્યારે સાંજના સમયે તેના ભાઈ અને માતા તેમજ અન્ય સભ્યો દવાખાને ગયા હતા તે દરમિયાન સુનિલ ઘરે એકલો જ હતો અને ઘરમાં પાઇપ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલા તેમના ઘરે કંઈક આપવા માટે આવી હતી તે દરમિયાન સુનિલને લટકતો જોઈને હેબતાઈ ગઈ હતી. જેથી આ ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. તો બીજી બાજુ પોલીસને પણ જાણ કરવામાં આવતા સેક્ટર ૨૧ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોત દાખલ કરીને સુનીલે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application