Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં કઠોદરા ગામે મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • August 04, 2024 

કામરેજનાં કઠોદરા ગામે રહેતી સૌરાષ્ટ્રવાસી પરિણીતાને સંતાનમાં પુત્ર નહીં હોવાથી હતાશ થઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બે માસુમ બાળાઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નયનાબેન દિનેશભાઈ ગોહિલ (રહે.દાદાગીર ગૌશાળામાં આવેલા પતરાનાં રૂમમાં કઠોદરા ગામ તા.કામરેજ, જિ.સુરત., મુળ રહે.ગાધકડા, જિ.અમરેલી)ને બે પુત્રી છે. જેમને સંતાનમાં પુત્ર ન હોવાથી હંમેશા હતાશ રહેતા હતા. તેણે દોરડુ પંખામાં બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે સમગ્ર બનાવની જાણ પરીવારજનોને થતા નયનાબેનને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જયાં ડોક્ટરોએ નયનાબેનને મૃત ઘોષીત કર્યા હતા. બનાવ અંગે પરીવારે જાણ કરતા કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application