Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાસચારો ભરી લઇ જતી ટ્રક પલટી, ૬ લોકોના મોત

  • March 30, 2023 

ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરી લઇ જતી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે.



ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજ્યા છે. અહીં ટ્રક પલટી જતા અનેક લોકો નીચે દબાઇ ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી જાણકારી મુજબ ટ્રક નીચે દબાઈ જતા 6 થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.


આ ટ્રકમાં ૧૨ થી ૧૪ શ્રમિકો  સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ઈમરજન્સી સેવા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application