Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદના પ્રહલાદનગર ખાતે એક બિલ્ડીંગમાં ભયાનક આગનો બનાવ

  • May 15, 2024 

અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે. ઈમારતમાંથી અત્યાર સુધીમાં 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમા માળે આગ લાગવાની ઘટના બની છે.


આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડનીપાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનતા લોકો દોડધામ મચી છે. બિલ્ડિંગના 9થી 11મા માળે ઈલેક્ટ્રિક ડગમાં આગ લાગી હતી. જેથી હાઈડ્રોલિકક્રેનની મદદ લેવામાં આવી હતી. આગને પગલે લોકો ભાગીને ધાબા પર જતાં રહ્યા હતા. જ્યાંથી ફાયર બ્રિગેડનીટીમે64 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News