Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં શાળાએ ન જતા બાળકોનો સર્વે યોજાશે: જાગૃત્ત નાગરિકોને સર્વેમાં સહભાગી થવા અપીલ

  • June 16, 2022 

તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન-૨૦૨૨-૨૩ અંતર્ગત શાળાએ ન જતા તેમજ અધવચ્ચેથી શાળા છોડેલ બાળકો માટે તા.૧૦ થી ૩૦ જૂન દરમિયાન સર્વે યોજાશે. જોકે જાગૃત્ત નાગરિકોને શિક્ષણથી વંચિત બાળકોની જાણકારી આપી આ સર્વેમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. 


ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૧૩૦ ઉપર સંપર્ક કરવો

જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ અને રેલ્વે સ્ટેશન, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બાળકો મળી આવે તો ગામ કે શહેરની નજીકની સરકારી પ્રાથમિક શાળા, તાલુકાના CRC/BRC ભવન અથવા સમગ્ર શિક્ષા અભિયાન જિલ્લા કચેરી-તાપીના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૧૩૦ ઉપર સંપર્ક કરવો,જેથી શાળા શિક્ષણથી વંચિત રહેલ શાળા બહારના બાળકોને શિક્ષણના નિરંતર પ્રવાહમાં સાંકળી શકાય. જાગૃત્ત નાગરિકોને શિક્ષણથી વંચિત બાળકોની જાણકારી આપી આ સર્વેમાં સહભાગી બનવા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-તાપીની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News