Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિંસક પ્રાણીઓથી બચવા ભેંસોને નૂતન વર્ષે બાણ નખાવાની વિશિષ્ટ પરંપરા

  • October 27, 2022 

નવા વર્ષની દરેક લોકો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે ત્યારે ગીર જંગલના પશુઓને પણ આ ઉજવણીમાં સામેલ કરવાની જૂની પરંપરા ચાલી આવે છે જેમાં માલધારીઓ દ્વારા ભેંસોને પોતાના પર રહેલું જંગલી હિંસક પ્રાણીઓનું કે અન્ય બીમારીનું તમામ ભારણ ઉતરી જાય તેવી માન્યતા સાથે બાણ નાખવાની આદિ અનાદિકાળથી પ્રથા ચાલી આવે છે.




મૂળ ગીરના લોકસાહિત્યકાર રાજભા ગઢવી ના પિતા અને અનેક વર્ષો સુધી ગીરમાં પોતાનું જીવન વ્યતિત કરનાર આલસુરભાઈ ગઢવી એ જણાવ્યું હતું કે ગિરના માલધારીઓ માને છે કે ભેંસોને વર્ષમાં એક વાર બાણ નાખવાથી તેઓની શક્તિ બમણી થઈ જાય છે તેમજ હકીકતે સિંહોના હુમલાનો ભોગ ન બને અને પોતે જંગલી પ્રાણીઓથી સ્વરક્ષણ માટે ખૂંખાર બની શકે તે માટેની આ પરંપરા ચાલી આવે છે ગીરના માલધારીઓની સામાન્ય લોકો કરતા રીત રિવાજ અને રહેણી કરણી અનોખી છે ગીરમાં અનોખી રીતે જીવન જીવતા માલધારીઓમાં પોતાની ભેંસોને પોતાની ઝોકમાંથી બહાર કાઢે તે પહેલા બાણ નખાવવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News