Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

  • December 11, 2022 

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને આધારે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલતો હોય જે માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને મુકવામાં આવ્યા છે.



મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા જે દુર્ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી નવ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે જે કેસ લડવા માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે.



રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે મુકવામાં આવ્યા છે જે ઝૂલતો પુલ સંબંધિત કેસો લડશે, મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News