Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાગરિકોમાં અંગદાન વિશે જનજાગૃત્તિ માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજાઈ

  • March 19, 2023 

‘અંગદાન..મહાદાન’ જનજાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો.દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ, સિવિલ હોસ્પિટલની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા મહારેલી યોજાઈ હતી. અંગદાન જાગૃત્તિના પ્લેકાર્ડ સાથે અંગદાનના સૂત્રોચ્ચારથી લોકોને જાગૃત્ત કરાયા હતા. 

            

આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકો જાગૃત્ત થઈ રહ્યા છે, ત્યારે સુરત પણ રક્તદાન, નેત્રદાન તેમજ અંગદાનમાં અગ્રેસર થઈ રહ્યું છે. સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં અંગદાન પ્રવૃત્તિ થઈ રહી છે. અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવી રોશની લાવે છે.

               

શ્રી ગોવેકરે કહ્યું કે, હોસ્પિટલોમાં દર્દીઓની સૌથી નજીક તબીબ અને નર્સિંગ સ્ટાફ જ હોય છે. ત્યારે અંગદાનમાં તબીબ અને નર્સિંગ સ્ટાફની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો મળતા તેમના જીવનમાં ઉજાસ ફેલાયો છે. ઈશ્વર માનવીને જીવન આપે છે અને તબીબ જરૂરીયાતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેને જીવ બચાવીને નવજીવન આપે છે. બ્રેનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેની આજીવન સ્મૃત્તિ સાચવવા અને તેમના જીવનમાં રંગો પૂરવા અંગદાનનો સંકલ્પ લઈએ એમ તેમણે ઉમેર્યું હતું.નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનામાં સમગ્ર ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી સૌથી વધુ કિડની, લીવર, સ્વાદુપિંડ, હાથ અને આંખ મળીને ૧૯ અંગદાન થયા છે, જેમાં ગુજરાતના ૬૫ જેટલા વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

            



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application