Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેરોજગારીથી ત્રાસ પામેલ યુવાન નદીમા કુદી મોતને ભેટ્યો

  • December 16, 2020 

ગણદેવી તાલુકાના દેવધા ગામના મસ્જિદ  ફળિયામા રહેતા આશિષભાઈ પ્રવિણભાઈ ભંડારી(ઉ.વ.૪૦) સુરત ખાતે ખાનગી નોકરી કરવા જતા હતા પણ છેલ્લા ઘણા સમયથી બેકાર બની જતા મોડી રાત્રે પત્ની અને પુત્રીને સુતેલી મુકી આશિષભાઈએ પોતનુ બાઈક લઈને ઘરેથી નીકળી જઈ ધમડાછા ગામે અંબિકા નદી પુલ પર પહોચી ત્યા બાઈકાને પાર્ક કરીને આશિષભાઈએ નદીમા કુદકો મારી દીધો હતો.

 

 

બીજી તરફ વહેલી સવારે આશિષભાઈના પત્ની જાગ્રુતીબેન ભંડારી જાગી જતા પતિ નહી દેખાતા આસ-પાસ તપાસ કરી છતા કોઈ જાણ ના મળતા તેમણે બાજુમા રહેતા રીક્ષા ચાલક સુરેશ્ભાઈ ભંડારીનો દરવાજો ખટકાવ્યો હતો અને તેમણે આશિષભાઈ બાઈક લઈને ક્યાક ચાલી ગયા હોવાનુ જણાવતા સુરેશભાઈ તેમણે રીક્ષામા બેસાડી શોધવા નીકડયા હતા,

 

 

પરંતુ થોડે દુર જતા આશિષભાઈનુ બાઈક ધમડાછા અંબિકા નદી પુલ પર દેખાતા તેમણે રીક્ષા ઉભી રાખી ત્યાના પાસે રહેતા મચ્છી પકડનારા લોકોની પુછપરછ કરી તો તેમણે જાણવા મળ્યુ કે, બાઈક પર સવાર યુવાન પાણીમા કુદી ગયો હતો આ જોતા અમે યુવાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ યુવાન મળ્યો નહી.આ વાતની જાણકારી સુરેશભાઈ ભંડારીએ પોલીસને તથા ફાયર વિભાગને કરી હતી. ફાયર ફાઈટર વિભાગના લશ્કરોએ બે કલાકની મહેનત બાદ સોમવારે સવારે આશિષભાઈનો મૃતદેહ નદીમાથી શોધી કાઢ્યો હતો. પોલીસએ અક્સ્માત બનાવ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application