Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના : સોગઠી ગામ નજીક વિસર્જનમાં દસ લોકો ડૂબ્યા, આઠનાં મોત

  • September 13, 2024 

ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક દસ લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર આઠ મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.


ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર, મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ દસ જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી આઠ યુવાનોનાં તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર જ્યારે આ ઘટનાની જાણકારી ગામના લોકો સુધી પહોંચી તો તેઓ તાત્કાલિક ધોરણે બચાવ કરવા માટે દોડી આવ્યા હતા. ગામના યુવાનોએ રાહત અને બચાવ કામગીરી કરનારી બચાવ ટુકડી સાથે મળીને લોકોને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. જોકે હજુ સુધી મોટાભાગના મૃતદેહો મળ્યા છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News