Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ, ભેખડ ધસી જતાં ૩ શ્રમિકોના મોત

  • December 24, 2022 

કચ્છના ખાવડા નજીક ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી, અહીં ખોદકામ કરતી વખતે મોટી ભેખડ ધસી જતાં મલબામાં 3 શ્રમિકો દટાઇ ગયા હતા, કચ્છ ખાવડા પાસેના પૈયા ગામની પાસે આ ઘટના બની  હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ઘર્યું હતું.


ફાયર ટીમે તાબડતોબ મલબો હટાવવાની કામગી હાથ ઘરી હતી પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેય શ્રમિકોને બચાવી શકાયા ન હતા. મૃતક શ્રમિકો મધ્યપ્રદેશના હતા. ભેખડ એટલી વિશાળ હતી કે, ઘટનામાં હિટાચી સહિત ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કાટમાળ નીચેથી એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયા બાદ અનેય લોકો હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે ત્રણ શ્રમિકોને બચાવી શકાયા ન હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application