Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગતા 8 થી 10 દુકાન બળીને ખાખ થઇ

  • May 30, 2022 

વિરાર (ઇ)માં આવેલ મનવેલ પાડા વિસ્તારમાં સંત નગર ખાતે ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગતા તેની ચપેટમાં આળેલ 8 થી 10 દુકાન આગમાં ખાખ થઇ ગઇ હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે 12  વાગ્યે બની હતી. જોકે આ દુકાનોમાં લાકડાનું ફર્નિચર, રૂની ગાદીઓ સહિત અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી. આ દુકાનો રસ્તાની બીજી તરફ રહેવાસી ઇમારતોથી દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.




જયારે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડના 30 જવાનો અને ચાર ફાયર એન્જિનને આગ બુઝાવવાના કામમાં લેવામાં આવ્યા હતા. જોકે આ આગની ઘટના શોર્ટ-સર્કિટને લીધે થઇ હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.




આ સંદર્ભે વધુ વિગતાનુસાર આ તમામ દુકાનો ગેરકાયદે બનાવવામાં આવી હોઇ આ દુકાનોમાં અગ્નીસુરક્ષાની કોઇ યંત્રણા ઉપલબ્ધ નહોતી. આ દુકાનોમાં કોઇ મજૂર કે કારીગર રહેતા ન હોવાથી કોઇ જાનહાનિ થઇ નહોતી. આ સંદર્ભે એક સ્થાનિકે જણાવ્યું હતું કે, પ્રથમ દુકાનના પાછળના ભાગમાં આગ લાગી હતી. જોકે અહીં ફર્નિચર સહિત આગ તરત પકડી લે તેવી વસ્તુઓ હોવાથી આગે ટુંક સમયમાં ભીષણ રૂપ પકડી લીધું હતું અને આગમાં 8 થી 10 દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. (ફાઈલ ફોટો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application