Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ મામલતદાર કચેરી ખાતે જનમન અભિયાન અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • September 24, 2020 

જન મન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા લોકોની ફરિયાદોના સ્‍થળ ઉપર નિવારણ માટે દર બુધવારે વારાફરતી એક એક તાલુકામાં જન મન કાર્યક્રમ યોજવાના ભાગરૂપે વલસાડની મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રી આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં નોંધાયેલા ૪૬ અને સ્થળ ઉપર આવેલા ૬ પ્રશ્નો મળી કુલ બાવન પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં વૃધ્‍ધ પેન્‍શનના મંજુરી હુકમો, નવા રેશન કાર્ડ, બોજાની નોંધ અને વારસાઇ નોંધના હુકમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત રજુ થયેલા નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામ, પાર્કિગના પ્રશ્નો અને ડીજીવીસીએલને લગતા પ્રશ્નો રજુ કરવામાં આવતા આ તમામ પ્રશ્‍નોનો હકારાત્‍મક રીતે સમયમર્યાદામાં નિકાલ કરવા માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી વી.સી બાગુલ, માલતદારશ્રી વસાવા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application