Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં શિવાજી જયંતી નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

  • February 19, 2023 


હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરનાર હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તા.19 મી ફેબ્રુઆરીના રોજ જન્મ જ્યંતી નિમિતે દર વર્ષની જેમ વ્યારા શહેર હિન્દુ સંગઠન (વીએસએચએસ) દ્વારા શોભા યાત્રા  સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજરોજ રોજ શનિવારે રાત્રે 8-00 કલાકે ભગવાન બિરસામુંડા ચોક થી ગુજરાત ગણેશ મંડળ માલીવાડ સુધી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું આગમન થશે.


તા.19મી ના રવિવારે સાંજે 4-00 કલાકે ગુજરાત ગણેશ મંડળ માલીવાડ થી શિવાજી મહારાજની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી સુરતી બજાર ઝંડા ચોકમાં પહોંચી જાહેરસભામાં પરિવર્તિત થશે. સાંજે 7-30 કલાકે યોજેલ જાહેરસભામાં મુખ્ય વક્તા તરીકે પ.પુ.શ્રીસંતપ્રસાદ સ્વામી (પ્રભારી- અખિલ ભારતીય સંત સમિતિ, મધ્ય ગુજરાત) ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે. સાથે મોટી સંખ્યામાં સંતગણો પણ ઉપસ્થિત રહેશે.


કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વ્યારા શહેર હિન્દુ સંગઠન તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તડામાર તૈયારી સાથે નગરમાં પોસ્ટર બેનરો લગાવી પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. તથા વિવિધ ગણેશ મંડળો,યુવા મંડળો સહીત નગરજનોને શોભાયાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application