Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરા ખાતે મસાલાની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો, સદનસીબે મોટી જાનહાની ટળી

  • March 13, 2023 

સુરતનાં પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગના કારણે વહેલી સવારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઇ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે, પાંડેસરા કૈલાશ નગર ચોકડી સ્થિત ગીતા નગર પાસે આર.પી.એસ. નામથી મસાલાની દુકાન આવેલી છે.








જોકે વહેલી સવારે દુકાન બંધ હતી તે સમયે દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં આગ લાગ્યાની જાણ આસપાસના રહીશોને થતા વહેલી સવારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મસાલાની દુકાનમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. વહેલી સવારે 5.34 મીનીટે કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની પાંચથી વધુ ગાડી સાથેની ટીમ ઘટના સાથે પહોંચી આવી હતી. દરમિયાન ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.







પાંડેસરાની આ મસાલા દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ દુકાન બંધ હતી. ત્યારે બંધ દુકાનમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન કરાય રહ્યું છે. તેમજ દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલો મસાલાનો સમાન સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગયો હતો. જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application