Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રની લોકલ ટ્રેનમાં લાગી ભીષણ આગ, આગ લાગતા તમામ મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા

  • October 16, 2023 

મહારાષ્ટ્રમાં આજે લોકલ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ન્યૂ આષ્ટીથી અહમદનગર જઈ રહેલી લોકલ ટ્રેનમાં બની છે, જ્યાં 5 કોચમાં આગ લાગી છે. આ ઘટના બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 4 કોચ સંપૂર્ણ આગની ઝપેટમાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે.



લોકલ ટ્રેનમાં સૌથી પહેલા ગાર્ડ-સાઈડ બ્રેક વાનમાં આગ લાગી, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 કોચમાં પણ આગ લાગી ગઈ. જોકે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી. ઘટનામાં એકપણ મુસાફરને ઈજા થઈ નથી. મુસાફરો કોચમાંથી તુરંત બહાર નિકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ, પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. રેલવે અધિકારીઓ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણો તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application