ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં એક ગામમાં દિવ્યાંગ યુવતી પર બે નરાધમો દ્વારા પાશવી દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી બનતા સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના એક ગામની યુવતી રાત્રે ઊંઘતી હતી. તે સમયે ઘરમાં ઘૂસી આવેલા બે નરાધમોએ પીડિતાને ધમકાવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ માણ્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઇ ગયા હતાં. આ ઘટના બાદ યુવતીએ બૂમાબૂમ કરતાં ગામના લોકો આવી ગયા હતા. ત્યારબાદ આ બે યુવકો ઈશ્વર સંજયભાઈ રાઠોડ અને વિજય ખોડાભાઈ રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઇ ગયેલા બંનેની ધરપકડના માટેની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application