Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકતાનગર ખાતે મોન્સૂન ફેસ્ટિવલમાં જન્માષ્ટમી પર્વની રંગારંગ ઉજવણી કરાઈ

  • September 09, 2023 

એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે. નવ દિવસીય મોન્સૂન ફેસ્ટિવલમાં અનેકવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો'ના થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ લીલા આધારિત ભજનો અને ગરબાની રજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લિન થયા હતા સાથે સમગ્ર દિવસભર અનેક રસપ્રદ એક્ટિવિટી પણ યોજાઈ હતી તેમજ ગૃપ દ્વારા પ્રસ્તુતિ રજૂ કરાઇ હતી. પ્રવાસીઓ મન મુકીને મોન્સૂન મેઘ મલ્હારમાં ભાગ લઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application