Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી, ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

  • July 02, 2022 

વ્યારા નગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રા કોરોના કાળ બાદ પ્રથમ વાર વ્યારાના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી અને વ્યારા નગર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.


અષાઢ સુદ બીજને દિવસે વ્યારા નગર ખાતે રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા ફડકે નિવાસ ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિરેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા  ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રા તેમજ ભાઈ બલરામના ના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રથયાત્રા ને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ રથયાત્રા વ્યારાના વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટેશન રોડ પર આવેલ રાધા કૃષ્ણ મંદિરે પૂર્ણ થઇ હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application