Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડીયાનાં રાણીપુરા ગામે ત્રણ યુવકો પર જીવલેણ હુમલો કરનાર 6 સામે ગુનો દાખલ

  • October 06, 2023 

ભરૂચનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામના જોગી ફળિયામાં અગાઉના ઝઘડાની રીસ રાખી 6 ઇસમોએ મારક હથિયારો વડે તૂટી પડી ત્રણ યુવાનો ઉપર જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડીયાનાં રાણીપુરા ગામના જોગી ફળિયામાં રહેતા ઉમેશ કનુભાઈ વસાવા અને તેઓના મિત્રો તેઓના ઘરે બેઠા હતા. તે દરમિયાન ગામનો સુરેશ કાલિદાસ વસાવા, નવીન ઉર્ફે ડોન વસાવા અને શૈલેષ વસાવા સહિત 6 ઇસમો લોખંડની પાઇપ અને ધારિયા લઈ દોડી આવ્યા હતા અને તું ગામનો દાદો બની ગયો છે કહી ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઝઘડામાં અન્ય ઇસમોએ પણ ઉમેશ વસાવા અને તેના ભાઈ સહિત મિત્રને માર માર્યો હતો આ મારામારીમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મારામારી અંગે ઝઘડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application