Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનના મ્યૂયિઝમમાં રાખવામાં આવેલો કોહિનૂર હીરો સહિત અન્ય પ્રાચીન વસ્તુઓ પાછી લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે

  • May 15, 2023 

બ્રિટનના મ્યૂયિઝમમાં રાખવામાં આવેલો ભારતનો અમૂલ્ય હીરો કોહિનૂર પાછો લાવવા તેમજ અન્ય દુર્લભ કલાકૃતિઓ દેશમાં લાવવા માટે ભારત સરકાર યોજના ઘડી રહી છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા આ માટે અભિયાન હાથ ધરવા તૈયારી કરાઈ રહી છે.


અગાઉ કોહિનૂર હીરાને પાછો લાવવા ભારત દ્વારા અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા છે પણ તેમાં ઝાઝી સફળતા મળી નથી. હવે કોહિનૂર હીરો સહિત અન્ય પ્રાચીન વસ્તુઓ પાછી લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.કોહિનૂર હીરો પાછો લાવવો એ પીએમ મોદી સરકારની પહેલી પ્રાથમિકતા છે. હાલ ભારત અને બ્રિટન વચ્ચે રાજદ્વારી તેમજ વ્યાપારી સંબંધો ઘણા સારા છે.


ભારતના સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, પુરાતત્ત્વ અવશેષો દેશમાં પાછા લાવવા એ ભારતની નીતિનો મહત્ત્વનો ભાગ છે. સરકાર માટે આ મુદ્દો ઘણું મહત્ત્વ ધરાવે છે. ભારતની આ પ્રાચીન કલાકૃતિઓ તમામ પ્રકારનાં મૂલ્યો ધરાવે છે.ભારતનો અમૂલ્ય હીરો કોહિનૂર 105 કેરેટનો છે અને ભારતનું અણમોલ રતન છે. મહારાજા રણજીતસિંહની તિજોરીમાંથી આ હીરો ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપવામાં આવ્યો હતો. પંજાબ ત્યારે ભારતમાં જોડાયું ત્યારે તત્કાલીન ક્વીન વિકટોરિયાને બક્ષિસમાં આપવામાં આવ્યો હતો.


પુરાતત્ત્વ સર્વેક્ષણ એ દેશના સંસ્કૃતિ મંત્રાલયનો એક ભાગ જ છે. બ્રિટીશ શાસનનાં અંત પછી ભારત સ્વતંત્ર થયા બાદ દેશમાંથી ચોરીછુપીથી બ્રિટન લઈ જવાયેલી ભારતમાં પાછી લાવવા પુરાતત્ત્વ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. દક્ષિણ ભારતનાં એક મંદિરમાંથી બ્રિટન લઈ જવાયેલી કાંસાની મૂર્તિ પાછી લાવવા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ મૂર્તિ ઓકસફર્ડનાં એશમોલિયન સંગ્રહાલયમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application