Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કટાસવાણ ગામે ઘરનાં કોઠારમાં અચાનક આગ લાગતાં એક વાછરડાનું મોત

  • November 23, 2023 

વ્યારાનાં કટાસવાણ ગામમાં એક પશુપાલકના ઘરના કોઠારમાં અચાનક આગ લાગતા એક વાછરડાનું મોત નીપજ્યું હતું, જયારે અન્ય બે પશુઓ દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની વિગત એવી છે કે, વ્યારા તાલુકાનાં કટાસવાણ ગામનાં સિંગલ ફળિયામાં રહેતા શુકરિયાભાઈ ગામીત પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના પશુઓ બાંધવાના કોઠારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે કોઠારમાં બાંધેલા પાલતુ જાનવરના અવાજ સાંભળી દોડી ગયેલ પરિવારજનો પશુઓના બાંધેલા દોરડા કાપે તે પહેલા આગની જ્વાળાઓની લપેટમાં આવી ચૂકેલ જાનવરોને જાનના જોખમે પશુઓને બહાર કાઢવાની કોશિશ કરાઈ હતી. પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી એક વાછરડનું મોત થયું હતું, જ્યારે અન્ય બે પશુઓને ઈજા થઈ હતી. જોકે આ આગમાં શુકરિયાભાઈને આર્થિક રીતે નુકસાન પહોંચ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application