Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

  • March 13, 2024 

સિકલસેલ એનિમિયા રોગ વિશે લોકોમાં જનજાગૃત્તિ કેળવાય તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ધરમપુર તાલુકાના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો હતો. આ કાર્યક્રમ થકી વિસરાતી જતા પપેટ શો ની કલાને જીવંત રાખવાનો પણ સરાહનીય પ્રયાસ કરાયો હતો. ધરમપુર તાલુકા હેલ્થ કચેરી અને ભેંસધરાના આયુષ્યમાન મંદિરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં જિલ્લા આરોગ્ય શાખાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે ઉપસ્થિત રહી સિકલસેલ એનિમિયા રોગ અને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં કલાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. પ્રસાર પ્રસારના પરંપરાગત માધ્યમથી ગ્રામજનોને સરળતાપૂર્વક સમજાવી શકાય છે. રમેશભાઈ રાવલ અને અમદાવાદના જિતેન્દ્ર ભટ્ટ તરફથી સંગીતમય શૈલીમાં પપેટ શો રજૂ કરવામાં આવ્યો હતો. જેને આશ્રમશાળાના બાળકો અને સ્ટાફ તેમજ વાલીઓએ માણ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application