વ્યારાના બાલપુર ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા માથા ઉપરથી ટ્રક ફરી વળતા બાઈક ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર વ્યારાથી ઉનાઈ જતા રોડ ઉપર બાલપુર ગામના પાટીયાથી આગળ રોડ ઉપર મગરકુઈના રહેવાસી 21 વર્ષીય નિરવભાઈ નવીનભાઈ ગામીત પોતાની કાળા કલરની પ્લેન્ડર મોટર સાઈકલ નં./જીજે/26/એએ/0483 ઉપર બાલપુરનાં યુવક ગણેશભાઈ રમેશભાઈ ગામીતને ચલાવવા આપી બંને સાથે કપુરા થી બાલપુર ગામ જતા હતા.
તે દરમ્યાન બાલપુર ગામનું પાટીયું પાછળ નિકળી જતા નિરવે, ગણેશને પાટીયુ નીકળી ગયુ તેમ કહેતા બાઈક ચલાવનાર ગણેશભાઈ ગામીતે બાઈક વાળતા જેસીંગપુરા ગામ તરફથી આવતી એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈકની સાથે એકસીડન્ટ કરી બાઈક ચાલકને તથા સાથી બેસેલને રોડ ઉપર પાડી નાખ્યા હતાં, વ્યારા તરફથી આવતી બીજી એક ટ્રકના ચાલકે પોતાના કબ્બાની ટ્રક પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ઉપર પડેલ ગણેશભાઈનાં માથા ઉપરથી ટ્રક ચલાવીને માથુ ફાડી નાખી નાશી છૂટયો હતો. માથુ ફાટી જતાં ગણેશભાઈ ગામીતનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ફરિયાદના આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ પી.એસ.આઈ. એસ.સી.પરમાર કરી રહયાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application