Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

17 વર્ષીય સગીરનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી

  • September 09, 2023 

ગાંધીનગર શહેરના સેક્ટર-24માં આવેલા શાકમાર્કેટમાં 17 વર્ષીય સગીરનો લાકડા ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જોકે ગરબા જોવા ગયા બાદ સગીરે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે જાણવા પોલીસ મથી રહી છે અને લાકડાં ઉપર આ પ્રકારે ફાંસો શક્ય છે કે, નહીં તે જાણવા માટે પણ પોલીસ મથામણ કરી રહી છે. ઘટના અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેરના સેક્ટર-24માં આવેલી ઇન્દીરાનગર વસાહતમાં રહેતા અને મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિથાજી ગંગારામ બાવરીના પરિવારમાં ત્રણ સંતાનો પૈકી 17 વર્ષિય પુત્ર શંકરનો સમાવેશ થયો હતો.



જે સેક્ટર-24માં જ આવેલી દૂકાનમાં નોકરી કરતો હતો. જયારે રાત્રે જન્માષ્ટમી નિમિત્તે સેક્ટર-24 હનુમાન મંદિરમાં ગરબાનું આયોજન હોવાથી પિથાજી તેમજ શંકર સહિતના પરિવારના સભ્યો ગરબા જોવા માટે ગયા હતા જોકે રાત્રે પિતા-પુત્ર ઘરે પરત પહોંચ્યા હતા અને આ દરમ્યાન શંકર ફરીથી મિત્રો સાથે ગરબા જોવા નિકળી ગયો હતો. આ દરમ્યાન મોડી રાત સુધી પરત નહીં પહોંચતા પરિવારજનોને ગરબા રમતો હશે તેમ લાગતું હતું દરમ્યાનમાં આજે સવારના સમયે સેક્ટર-૨૪ શાકમાર્કેટ પાસે બે દૂકાનો વચ્ચે તાડપતરી નાંખવા માટે રાખવામાં આવેલા લાકડાં ઉપર ફાંસો ખાધેલી હાલતમાં શંકરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગ પણ જમીન ઉપર લટકતા હતા. જેથી આ અંગે સેક્ટર-21 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શંકાસ્પદ હાલતમાં થયેલા આ મોત અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application